Aapnucity News

વાછિયેલ પ્રાથમિક શાળાના નવા પાંચ વર્ગખંડનુ ભૂમિપૂજન

બોરસદ તાલુકાના વાછિયેલ ગામની પ્રાથમિક શાળામા અંદાજિત ૭૦ લાખના ખર્ચે નવા વર્ગ ખંડ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. વાછિયેલ પ્રાથમિક શાળામાં નિર્માણ પામનારા 5 નવા વર્ગખંડોના ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. ખાતમુહૂર્ત વિધિ દરમિયાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદ ધારાસભ્ય રમણભાઈ સોલંકી, બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ પટેલ, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સુનિલભાઈ સોલંકી, જીલ્લા પંચાયત સભ્ય સપનાબહેન ઠાકોર, શાળાના આચાર્ય જીગરભાઈ ઠક્કર સહિત ગામના આગેવાનો, વાલીઓ , શિક્ષકો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our App:

Get it on Google Play