Aapnucity News

સૂકામેવાના કલાત્મક હિંડોળે ગોપાલ લાલજી સરકાર બિરાજમાન થયા

ડાકોર મંદિર ખાતે આજે શ્રી રણછોડરાયજી મહારાજને સુકામેવાના હિંડોળે ઝુલાવવામાં આવ્યા હતા. આ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શન માટે ઉમટી પડ્યા હતા. વિવિધતાસભર હિંડોળા બનાવીને ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે. હિંડોળા મહોત્સવનું અતિ મહત્વ સૌથી વધારે છે. વૈષ્ણવો અને આસપાસના ગામોના ભાવિક ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Download Our App:

Get it on Google Play