Aapnucity News

ડોલરના મોટા હિંડોળા ઉપર ઠાકોરજીને -બેસાડીને ઝુલાવવામાં આવ્યા

ડાકોરના રણછોડજી મંદિરમાં અષાઢ વદ બીજથી એક મહિના સુધી હિંડોળા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહિના દરમ્યાન ઠાકોરજીને હિંડોળા ઉપર બેસાડીને ઝુલાવવામાં આવે છે. ગઈકાલે ડોલરના મોટા હિંડોળા ઉપર ઠાકોરજીને -બેસાડીને ઝુલાવવામાં આવ્યા હતા. આ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શન માટે ઉમટી પડયા હતા. આખા મહિના દરમ્યાન વિવિધતાસભર હિંડોળા બનાવીને ઠાકોરજીને ઝુલાવવામાં આવનાર છે. હિંડોળા મહોત્સવનું અતિ મહત્વ સૌથી વધારે છે. વૈષ્ણવો દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

Download Our App:

Get it on Google Play